Search This Blog

17/02/2010

ખોટાં બેસણાંમાં

ઘણાં ભાવકોને હજી બીજાના બેસણા ઉપર સરખો હાથ બેઠો ન હોવાથી પ્રવર્તમાન બેસણાં પદ્ધતિને તેઓ સમજી શક્યા નથી અને લોચા મારીને આવે છે.

પ્રસ્તુત ભાવલેખમાં નવોદિત બેસણાંકારોને તાલીમ આપવાનો નમ્ર પ્રયાસ થયો છે. (બેસણાં દરમ્યાન મોંઢા પર રાખવાના હાવભાવો દર્શાવતા કલર- ફોટોગ્રાફ્સની રંગીન પુસ્તિકા માટે આજે જ અમારું સૂચિ-પત્રક મંગાવો.)

(૧) તમે જાઓ તો એવી રીતે જાઓ કેબહારવટે આવ્યા છો કે બેસણાંમાંતેની એટલીસ્ટ શોકગ્રસ્ત પરિવારજનોને ખબર પડવી જોઈએ. આમાં રૂમઝુમ કરતા જવાય નહિ. તમારા ચેહરા ઉપર શોક અંદર બેઠા હો ત્યાં સુધી દેખાવો જોઈએ. બેઠા પછી બાજુવાળો કોક ઓળખીતો નીકળે. તો રાજી થઈને એના ખબર અંતર ન પૂછાય, ‘આહા... તમે અહીં ક્યાંથી ? બહુ વખતે મળ્યા...!’ તમને એ ખબર હોવી જોઈએ કેપેલો અહીં બેસણું છે માટે આવ્યો છે. રમી રમવા નથી આવ્યો. તમારો બીજો સવાલે ય અભદ્ર છે. પેલાના નસીબ એટલાસારા છે કેએ તમને બહુ વખતે મળ્યોરોજેરોજ બેસણાંમાં જવાનો એણે વાર્ષિક પાસ કઢાવી ન રાખ્યો હોય કેએ રોજેરોજ મળે.

(૨) બેસણામાં બેસવાની એક સ્ટાઇલ હોય છે. રાત્રે બંધ દુકાનના ઓટલે ઢીચણ ઊંચો કરીને હાથના ટેકે બેઠા હોએમ અહીં ન બેસાય. અહીં કેવી પલાઠી વાળીને બેસવુંબેઠાબેઠા નીચે પાથરેલી ચાદર તરફ શોકગ્રસ્ત નજરે જોયે રાખવુંકેટલીવાર બેસવું તેમજ ઊભા થતી વખતે બાજુમાં બેઠેલાના પગના આંગળા ચગદાઈ ન જાય તેનું ઘ્યાન કેવી રીતે રાખવું. તે સમજી લેવું જરૂરી છે. કેટલાક લોકો બેસણાંમાં અદબ વાળીને ટટ્ટાર બેઠા બેઠા બધા આવતા- જતાને જોયે રાખે છે. જોતી વખતે એમના ભાવ બરોબર હોતો નથી. કેમ જાણે એમને નવાઈઓ લાગતી હોય કે, ‘ અહીં ક્યાંથી ? આના બેસણાંમાં તો હું જઈ આવ્યો છું.’ આ પદ્ધતિ બરાબર નથી.

(૩) મરનારનો ફૂલ ચઢાવેલો ફોટો જોઈને એમના તેજઐશ્વર્ય અને પ્રભાવના વખાણ કરો- ખોડ ન કરોબેઠા પછી વાંકા વળીને બાજુવાળાને એવું ન પૂછાય કે, ‘સદ્ગત મૂછો ઉપર બી મેંહદી લગાવતા હતા. નહિ ?’ આ સવાલ તેઓ જીવિત હતા ત્યારે પૂછી લેવો જોઈએ. સદ્ગત તો આંખોની ભ્રમર ઉપરે ય હેરડાઇ લગાવતા હોય તેનું આપણે શું કામ છે ? આ તો એક વાત થાય છે.

(૪) ઘેર મળવા ગયા હોતો પહેલા એ જાણી લો કેમરનારના જવાથી ઘરના બધાને પારાવાર દુઃખ થયું છે કેએ લોકો ડોહાથી માંડ છૂટ્યા છેએની કળ વાળીને બેઠા છે ? ઘણાંના ઘેર આવું થતું હોય છે કેઘરવાળા તૂટી ગયા હોયડોહો છેલ્લા ૪- ૫ વર્ષથી પથારીમાં પડ્યા પડ્યા, ‘‘આજે જઉં છું... કાલે જઉં છું...’’ના દિલાસા આપી આપીને ખેંચે રાખતો હોયએની જ ઉંમરનાએની ખબર કાઢવા આવનારાઓ સમજી- વિચારીને આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યા હોય ને આવડો આ હજી ટટ્ટાર બેઠો હોય. એની સારવારમાં ઘર આખાની આવક અને બચત હજમ થઈ ગઈ હોય. જેટલું ટકેએટલો ખર્ચો જ હોય. કોઈ બહાર ન બોલે પણ, ‘હવે કાકા છૂટે તો સારું...’ એવા નિહાકા ઘર આખું ખાતું હોય. હકીકતમાંડોહો ફાઇનલી ઉપડે ત્યારે આખું ઘર એની બૉડી પચ્ચીસવાર ચેક કરી લે કેડોહો આખો મર્યો છે કેશરીરના કોઈ અંગમાં થોડો જીવે ય બાકી રહી ગયો છે ? આખો ના મર્યો હોયને બે-ચાર અવયવો હજી ચાલતા હોયતો ય ફફડાટ પેસી જાય. ખાત્રી થાય કેહવે ખેરખર ગયો છેપછી જ એ લોકો પંચમહાભૂતોને બોલાવે. એ લોકોએ આને પાછો પોતાનામાં વિલીન કરવો હોયએટલે પાંચે મહાભૂતો નગરપાલિકાની જન્મ મરણની નોંધણી કચેરી થઈને આવે. ખોટો ધક્કો ના પોસાય.

(૫) દાખલ થતાં પહેલાં જક્યારે ઊભા થવાનું છેતેની ગોઠવણ વાઇફ સાથે પહેલેથી કરી લેવી. મહી બેઠા પછી વાઇફને ‘છીછ... છીછ...’ વાળા સિસકારા મારીને નહી બોલાવવાની. એને બદલે કોઈ બીજી ઊભી થઈ જાય તો તકલીફમાં તમે આવી જાઓ. આટલા માટે જબેસણામાં નજરના બાણ મારીને વાઇફને ઉભા થવાનું નહિ કહેવાનું. બાણોનું કંઈ નક્કી ન કહેવાય. વાઇફને સમયસર ઊભી કરવાનો એક કોડ-વર્ડ રાખી લેવો સારો.

(૬) બની શકે કેમરનાર વિશે તમારી પાસે કોઈ બાતમી પાકી ન હોય તો ભૂલમાં ખોટા બેસણામાં જઈ ચઢો. પહેલો ઝાટકો તો સદ્ગતના ફોટાને જોઈને જ લાગે કેમરતા પહેલા તો કાકા પુરુષ હતા... મર્યા પછી સ્ત્રી કેવી રીતે થઈ ગયા ? અત્રે યાદ રહે કેખોટા બેસણે ચઢી બેસવાની તમને ખબર પણ પડે તો ય શોક તો સાચી જગ્યાએ કરવો. તમારા વાળી પાર્ટી ન મરી હોય ને અહીં ફોટો બીજાનો હોય તો ચિંતા નહી કરવાની હવે તો ખિસ્સે ખિસ્સે મોબાઇલ થઈ ગયા છે. ત્યાં બેઠા બેઠા જ પૂછી લેવાનું કે, ‘આપણાવાળા ભાનુકાકા છે કે ગયા... ?’ ઘ્યાન એ રાખવાનું કેસામે છેડે ફોન ઉપાડનાર ભાનુકાકો પોતે ન હોય.

ખોટા બેસણાંમાં જઈ ચઢવાનો મોટો ફાયદો એ થાય છે કેત્યાં આપણે સાચો શોક કરવો પડતો નથી. મોંઘાભાવની શોકની બચત થાય છે અને ખરે વખતે એ જ શોક વાપરી શકાય છે. વળીઆવા બેસણામાં આપણું કોક ઓળખીતું આપણને જોઈ ગયું તો છાપ સારી પડે છે કે, ‘જોયું ? અશોક દવે કેવા વ્યવહારૂ છે... સાવ નામની જ ઓળખાણ હશેતો ય આવા પ્રસંગે હાજર થઈ ગયા ને ?’

(૭) અલબત્તહવેના મોડર્ન બેસણાં સવારે ૮થી ૧૦માં ભરાયએને જ નથી ગણતાતમે એ વખતે ન જઈ શકો તો ‘અમે રહી ગયા ને તમે લઈ ગયાનો ખેદ વ્યક્ત કરવા લોકોને આવું જ એક બીજું બેસણું ગોઠવી દેવાની ફર્માઇશ કરી શકાતી નથીપણ અઠવાડિયામાં તમારી અનુકૂળતા મુજબ જઈ આવવાનું હોય છે. ‘નેકસ્ટ’ ટાઇમ આમાં ફોર્માલિટીને બદલે તમારો અંગત ‘ટચ’ આપવાની ભાવના રહેલી છે. અહીં બેઠા પછી પૂછવાપાત્ર થતા સવાલોનો સેટ બજારમાં તૈયાર જ મળે છે. ૧. કાકાને શું થયુંતું ?, ૨. માંદા હતા ?, ૩. ઉંમર કેટલી હતી ?, ૪. આ ત્રીજો એટેક હશે... નહિ ?

યાદ રાખો. આવી વિઝીટોમાં એટલો જ શોક વ્યક્ત કરોજેટલો એ લોકોને લાગ્યો હોય.

(૮) વાઇફને સાથે લઈ જતી વખતે ખાસ ઘ્યાન રાખવાનું કે એ આર કરેલી કડકકડક સફેદ સાડી પહેર્યા પછી વાળ છૂટા ન રાખે. બેસણામાં તમારી વાઇફફિલ્મ ‘કોહરામાં પર્વતની ટોચ ઉપર આંટા મારતી વહિદા રહેમાન જેવી ન લાગવી જોઈએ.

(૯) કદી કોઈના પણ બેસણાંમાં ઉભા થતા થતા, ‘‘ચલો ત્યારે.... હજી બીજા બેસણાંમા જવાનું છે... ફરીવાર આવું કંઈ હોય તો કહેવડાવજો...’’ આવું ન બોલાય. એવી જ રીતે રાજ કપૂર ભલે કહી ગયા કે, ‘મેહમા જો હમારા હોતા હૈવો જાન સે પ્યારા હોતા હૈ... હોઓઓ’ બેસણામાં કદાપિ ચા-પાણીની અપેક્ષા રાખવી ન જોઈએ. અલબત્તએ લોકોને આઘાત બહુ ભારે લાગ્યો હોય અને બધાના ગયા પછી અંદર ‘ડ્રિન્ક્સ’ રાખ્યું હોયતો ના ય ન પાડવી.

(૧૦) બેસણાંમા તમારી બાજુમાં બેઠેલા અજાણ્યા સાથે સવાલ- જવાબોમાં ન ઉતરી પડવું. મને એનો માઠો અનુભવ છે. ‘આપ... ? આપ કોણ... ?’ એવું મારી બાજુવાળાએ મને વાંકા વળીને પૂછ્યું. મને એમ કેઆ લોકોના બસણામાં ખરખરો કરવા આવનારે ફૉર્મ-બોર્મ ભરવાનું હશેએટલે મેં કહ્યું, ‘હું અશોક...
જી આપ શું કરો છોઅશોકભાઈ ?’

જીમારે નારોલ અને વટવામાં દેસી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ છે...

જી.... ???’

 વધારાનું ‘જી’ બોલાઈ ગયું પછી એ બીજું કાંઈ બોલ્યા વિના ઊભો થઈ ગયો અને સીધો ફોટાવાળા પાસે પહોંચ્યો. કાનમાં કંઈ બોલ્યો હશેએટલે ઝભ્ભાવાળો બેઠો બેઠો ઊંચો થઈ ગયો. દસ મિનિટમાં આખું બેસણું સમેટાઈ ગયું.

સિક્સર
પાકિસ્તાની ક્રિકેટરોનું ઇંગ્લિશ... તોબા- તોબા... અને એમાં ય ઇન્ઝીભાઈ... ઇન્ઝમામ-ઉલ-હક્ક ? મેચ જીત્યા પછી કમૅન્ટેટર શું પૂછશે. એનો અંદાજો હોય એટલે કોઈને પૂછીને સ્ટાન્ડર્ડ જવાબ તૈયાર રાખ્યો હોય પણ ટોની ગ્રૅગે ઇન્ઝીને જુદો જ સવાલ પૂછ્યો, ‘‘વાહ ઇન્ઝી... તારી વાઇફ બીજી વખત પ્રેગનન્ટ બની છે. તમને ખૂબ આનંદ થતો હશે...’’

ઇન્ઝીનો જવાબ: ‘‘થેન્ક્સ ટૉની... ઑલ ક્રેડિટ ગોઝ ટુ બોયઝ... બધાએ ખૂબ મહેનત કરી હતી... ખાસ તો આફ્રિદીએ. એ દાવ લેવા ગયો ત્યારે સીચ્યુએશન જરા ટાઇટ હતી. પણ ઇન્શાઅલ્લાહ... બઘું અમારા કોચની નજર હેઠળ હતું અલ્લાહને ચાહા તો દુસરી બાર ભી હમ સબ જોર લગા કે ઐસા હી રીઝલ્ટ લાયેંગે...!’’

10/02/2010

તમારા ઘરમાં કેટલા પુસ્તકો છે ?

વચમાં એક લેખકે ગુજરાતના સાહિત્યકારોને પ્રશ્ન પૂછ્યો હતો, ‘‘તમારી અંગત લાયબ્રેરીમાં કેટલા પુસ્તકો ?’’

જવાબ તો બધાએ યથાશક્તિ આપ્યો હતોપણ જે સાહિત્યકારોને આ રીતે પણ મોટા ગણાવવું હતું. તેમના જવાબમાં ઘણી ભવ્યતા દેખાઇ આવતી હતીઅને કેટલાકે તો ‘‘ઓહ...હશે કોઇ ૪-૫ હજાર !’’ એવો જવાબ લખી માર્યો હતો.

એક લેખકના ઘરમાં ૪-૫ હજાર પુસ્તકો...?? ખૂબ અંજાઇ જવાય એવી વાત છે ને એક તો એ લેખક હોવા છતાં આટલું મોટું મકાન કઇ કમાણી ઉપર ઉપાડી લાવ્યો હશે કેજેમાં ૪-૫ હજાર પુસ્તકો સમાવી શકાયએની ગતાગમ ન પડે.

બીજો પ્રશ્ન : એક પુસ્તકની સરેરાશ કિંમત રૂ.૧૦૦/- ગણીએ તો ૪-૫ હજારનો ખર્ચો જરા ગણી જુઓ તો કેટલો આવે સહેજે રૂ. ૪-૫ લાખ થઇ ગયા આ તો વાચકોને ખબર ન હોયએટલે ભાંડો ફોડી નાંખું છું કેગુજરાતના એકે ય લેખકને એની લખાણપટ્ટીના મહિને સરેરાશ રૂ. ૫,૦૦૦/-થી વધારે શકોરૂં ય મળતું નથી. (આ તો મોટા લેખકોની કમાણીની વાત છે...જેમનું હજી બહુ નામ થયું નથીએવા નવોદિત લેખકોને તો વર્ષના બે હજારે ય મળતા નથી...એમાંના ઘણાને સામેથી આપવા પડતા જરૂર હશે !) પછી એ કૉલમ લખવાની આવક હોયકે બહાર પડેલા એના પુસ્તકોની ટોટલ રૉયલ્ટી. તમે જે કોઇ મોટા લેખકને ઓળખતા હોતે પણ આટલી આવકમાં આવી ગયો.

અમેરિકાના લેખકો પોતાના પુસ્તકોની રૉયલ્ટીમાંથી એટલું કમાય છે કેએમાંના કેટલાક પાસે પોતાની માલિકીના પ્રાયવેટ ઍરપૉર્ટ અને વિમાનો હોય છે. (અહીં તમે ધારો તો મજાક કરી શકો છોગુજરાતી લેખકોની પ્રાયવેટ માલિકીનું શું શું હોય છેતે મુદ્દે...!) અમેરિકાના વાચકો ખુશ થાય તો એમના પ્રિય લેખકને કાર કે બંગલો ગિફટમાં આપી દે છે. આપણે ત્યાં વાચક ઘરે આવ્યો હોય તો સાલા ઘરઘાટીને ય ઉપાડતા જાય છે...!

બીજી વાત. ગુજરાતનો માંડ એકાદ અપવાદ બાદ કરતા કોઇ સાહિત્યકાર ખાધે-પીધે સુખી ઘરનો નથી. (ખાધે’ તો કદાચ ૪-૫ ટકા ય સુખી હશેબાકી પીધે’ તો બધા મફતીયાઓ હોય છે...! એમને પીવડાવનારા પીધે’ દુઃખી થઇ જાય છે !) મોટા ભાગના સાહિત્યકારો લૉઅર-મિડલ કલાસમાંથી માંડમાંડ બે પાંદડે થયેલા છે અને આ બે પાંદડે એટલે પોતાના ખર્ચે ગાડી ખરીદી શકે એટલા નહિ. ગાડી લઈ આવ્યો હોય તો એની બીજી કોઇ આવકના જોર પર. હિસાબ સીધો છે. ખાધે-પીધે સુખી ઘરનો હોય તો લેખક બનવાની જરૂરે શી પડે બેઠો બેઠો ધીકતી કમાણી ન કરે ?

મતલબ કેઆ રૂ. ૪-૫ લાખ પુસ્તકો પાછળ ખર્ચવાની વાતમાં ગોટાળો મોટો છે. ઍક્ચ્યૂઅલી થાય છે એવું કેમોટા ભાગના લેખકોને પુસ્તકો મફતમાં મળે છે. કાં તો નવો લેખક આની પાસે પોતાના પુસ્તક વિશે ક્યાંક બે લાઇનો લખાવવાની લાલચે ભેટ આપી જાય ને કાં તો પ્રકાશકો અવલોકનાર્થે’ મોકલાવે. આ આપણો મોટો લેખક ગાન્ડો થોડો થઇ ગયો છે તે એમાંનું એકે ય પુસ્તક વાંચે ઇચ્છા હોય તો ય મફતમાં એટલા બધા પુસ્તકો આવતા હોય કેપ્રૅક્ટિકલી એ વાંચી ય ન શકે. બસ. એમાં આંકડો પેલા ૪-૫ હજાર પુસ્તકો ઉપર પહોંચ્યો હોય અને ઘેર આવેલાને આંજી નાંખવા માટે ડ્રૉઇંગ-રૂમની દિવાલો પર પુસ્તકો પૂરતા છે. દિવાલને રંગરોગાન કરાવવા કરતા પુસ્તકો ઈન્ટરીયર-ડૅકોરેશનમાં સસ્તા પડે. (સસ્તા...?? આઇ મીનમફતમાં પડે !)

બીજી વાત. માની લો કેઅંગત લાયબ્રેરીના તમામ પુસ્તકો એણે વાંચ્યા છેતો સવાલ થયો કે હજી રાખી કેમ મૂક્યા છે એ કાંઇ બીજી વાર વાંચવાનો તો નથી. આવું બઘું વાંચવાઘરમાં એના જેવા બીજા નવરા ન હોય. આ કોઇ સીડી કે MP3 નથી કેવારંવાર સાંભળવાના કામમાં આવે. રૅફરન્સ-બૂક્સ સમજ્યા કેરાખી મૂકવી પડે. એની જરૂર પડે. પણ બાકીના પુસ્તકો એમને એમ જીંદગીભર પડ્યા રહેવાના છેએ જાણવા છતાં કોઇ જરૂરતમંદ વાચક કે લાયબ્રેરીને ભેટ કેમ આપી દેતો નથી સાલાતેં પૈસા ખર્ચ્યા નથી. તું વાંચવાનો નથી કેઠાઠઠઠારો કોઇને બતાવવા થાય એટલેતું એને પસ્તીમાં ય આલી દેવાનો નથીતો શું કામ ખોટો દંભ કરશભાઆય...?

આ લોકો મૂંઝાઇ ત્યાં જાય છેજો ઘરમાં પુસ્તકો ન દેખાય તો પ્રજા એને સાહિત્યકાર કેમ માનશે એમાં કોઇ સાહિત્યિક પ્રવચનમાં બીજા કોઇ લેખકે આના સંદર્ભમાં મંચ પરથી કીઘું કે, ‘‘તેઓશ્રીનું ઘરએટલે જીવતું જાગતું પુસ્તકાલય...! અહોઅહોઅહો....! કેટલા માતબર પુસ્તકો છે એમને ત્યાં...!’’ બસ. કોઈ આવા વખાણ કરેએટલે પૈસા વસૂલ.

અચ્છા. મેહમાનોને દેખાય એવા પુસ્તકો પાછા કોઇ ઑર્ડિનરી ન હોય...પ્રભાવ પડે એવા હોય... (શું પડે એવા હોય જવાબઃ પ્રભાવ પડે એવા હોય ! જવાબ પૂરો) મેહમાનો જોઇ શકે શૉ-કૅસમાં તમે અંજાઇ જાઓએવા એવા વિષયના પુસ્તકો લટકતા હોય. જે. કૃષ્ણમૂર્તિબર્ટ્રાન્ડ રસેલ કે ઍરક્રાફટ-મિકેનિઝમ’ નામના પુસ્તકો જોઇને સાલી હેડકી આવે કેઆવડો આ અત્યાર સુધી તો વાચકોને બનાવતો હતો...અચાનક વિમાન બનાવતો ક્યારથી થઇ ગયો તારી ભલી થાયચમના....!

અહીં લેખક થઉ-થઉ કરતા મજૂરોને સૂચના કેસારા તો જાવા દિયોપણ જાણિતા લેખક થવું હોય તો ફોરેનના સાહિત્યકારો-કવિઓના નામો ગોખી જ મારો. તમારા લખાણોમાં વિધાઉટ-ફૅઇલ પરદેશના સર્જકોના નામો ઝળકવા જરૂરી છે. અલબત્તએ સીસ્ટમ થોડી જૂની થઇ ગઇ છેકારણ કેપરદેશમાં ય હમણાં હમણાંથી કોઇ નવા સર્જકો બન્યા નથીએટલે એકના એક નામો લઇને બૉર થઇ જવાય છે. સોસ્યૂરચોમ્સ્કીકાફકામોલિયર કે શૅક્સપિયર શું કહેતો હતોએનો ઉલ્લેખ પોતાના પ્રવચન કે લેખમાં કરવો પણરણછોડભઇ મફાભઇ પટેલ શું કહેતા હતાતેનો કોઇને અણસાર ન આવવા દેવો. (રણછોડ કેતો તો કેઆપણા ઍરિયામાં બે દહાડા વીજળી બંધ છે....!)

ભારે દોડધામ અને હૈયાવરાળો પછી ગુજરાતી કાવ્ય અને ગઝલ સાહિત્યમાં નવો શબ્દ મળી આવ્યો છેજે હરકોઇ ગુટખાની માફક વાપરે રાખે છે. શબ્દ બહુ અંજાઇ જવાય એવો છે. એના અર્થની મને ખબર નથી-રિક્તતા. આ રિક્તતા’ જ્યાં સુધી તમારી કવિતા ગઝલમાં ન આવેત્યાં સુધી તમે કોઇ સાયકલ-મીકેનિકે ય ન ગણે...ગઝલકાર તો બહુ દૂરની વાત છે. હજી સુધી એકપણ ગુજરાતી કવિડો જન્મ્યો નથીજેની રચનામાં તમને કૂંપળ’ જોવા ન મળે. મોટી થઇને એજ કૂંપળ હળકડી બને છેફૂલ બને છેઘાસ બને છેએમાંનું કાંઇ જોવાની જરૂરત નથી-કૂંપળ આવવું જોઇએ. ગુજરાતીમાં મૌલિકતાનો ખૂબ ખ્યાલ રખાય છે-બીજાની મૌલિકતા...બીજાની રિક્તતા.

હા. એક બીજો ખ્યાલ પણ રાખવાનો. સાહિત્યજગતમાં તમને કોઇ મોટો હોદ્દો-બોદ્દો મળે...(આ બોદ્દો’ શબ્દ અત્યારે જ આપણે શોધેલો છે. નવોદિત કવિઓને એમની સંરચનાઓમાં મારો આ બોદ્દો’ વાપરવાની મારી અનુમતિ છે...રચના’ અને ‘સંરચના’ વચ્ચે શો ફેરએ મને ખબર પડશે તો તમને જણાવી દઇશ !!!) તો સમગ્ર સાહિત્ય-જગત અંજાઇ જાય તમારી નમ્રતા ઉપરએવું નિવેદન હોદ્દો સ્વીકારતા પહેલા આપી દેવાનું કે, ‘‘મારી તો લગીરે ઇચ્છાખેવના કે મહત્વકાંક્ષા આ સ્થાન શોભાવવાની નહોતી. પણ મિત્રોનો આગ્રહવાચકોનો પ્રેમ અને આ બાજુ મારી કેડનો દુઃખાવો...મારે કમને આ સ્થાન સ્વીકારવું પડ્યું...!’’

તમે સાહિત્યકારોને રૂબરૂ મળો તો રાજકારણીઓ ઓછા દંભી લાગશે...!

સિક્સર
એક રીક્ષાની પાછળનું લખાણ વાંચીને હું ખડખડાટ હસી પડ્યો,
‘‘આવો તો વૅલકમજાઓ તો ભીડ કમ.’’